Showing posts with label કલ્યાણકારી પ્રતિક સ્વસ્તિક. Show all posts
Showing posts with label કલ્યાણકારી પ્રતિક સ્વસ્તિક. Show all posts

Saturday, June 6, 2015

કલ્યાણકારી પ્રતિક સ્વસ્તિક !!

સ્વસ્તિક ઃ સમાજનું કલ્યાણ, સુખ અને સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સમાજ આનંદપૂર્ણ જીવન જીવી શકે તે માટે સેંકડો ઋષિ મુનિઓએ માંગલ્ય પથ બતાવ્યો છે. નિરપેક્ષ ભાવે તેમણે પોતાનું સમગ્ર જીવન તે માટે ખર્ચ્યું છે અને આવા કલ્યાણકારી જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે સ્વસ્તિકનું પ્રતિક આપ્યું. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા. કલ્યાણનું રાજ્ય. જીવનમાં જ્યાં સૌંદર્ય છે, શ્રી છે, સુસંવાદ છે, પ્રેમ અને ઉલ્લાસ છે ત્યાં હંમેશાં જીવન મંગળકારી જ છે. ભારતીય સંસ્કૃતિનું ખૂબ અર્થવાહી પ્રતિક તે સ્વસ્તિક છે.