Showing posts with label જીવનવાણી. Show all posts
Showing posts with label જીવનવાણી. Show all posts

Wednesday, June 3, 2015

દર્દ અને આનંદ !!

એક મુસાફરે ખૂબ લાંબા પ્રવાસે જવા નીકળ્યો. પોતાની મંજિલનું નામ એણે કિસ્મત આપ્યું અને સાથે લીધેલા ઘોડાનું નામ એણે જરૂરિયાત રાખ્યું. જરૂરિયાતના ઘોડા પર થોડેક સુધી સફર કર્યા પછી એને થયું કે ઘોડાની પીઠ પર બેસીને પ્રવાસ કરવાને બદલે ઘોડાની પાછળ નાનકડી એક ગાડી જોડી દીધી હોય તો જરા સગવડ રહે. મુસાફરે ઇચ્છા નામની ગાડી જોડી દીધી. આ ગાડીને બે પૈડાં હતાં. એકનું નામ આનંદ અને બીજાનું નામ દર્દ. આનંદનું પૈડું જેટલી વાર ફરતું એટલી જ વાર દર્દનું પૈડું ફરતું. પ્રવાસ લાંબો હતો.

મુસાફરને થયું કે ગાડીને નાનું મજાનું છાપરું હોય તો કેવું સારું ! જરૂરિયાતના ઘોડાએ હવે વૈભવના છાપરાને ખેંચવાનો બોજ પણ લેવો પડ્યો. તેથી ઘોડાની ગતિ ઘટી. આગળ જતાં રસ્તો કાદવ કીચડવાળો આવ્યો. ગાડી એમાં ફસાઇ ગઇ. એને થયું હું જો કેવળ ઘોડા પર બેઠો હોત તો ઘોડો કેવો તો દોડીને આગળ લઇ જાત. સવારે ઉઠીને છપરું ફાડી નાખ્યું. ગાડીને છૂટી કરી અને ઘોડા પર બેસીને મંજિલ કાપવા લાગ્યો. એને ખબર હતી કે ગાડીમાંનું આનંદનું પૈડું હવે તેની સાથે નથી. એને એનો વાંધો નહોતો કારણ કે દર્દનું પૈડું પણ હવે છૂટું થઇ ગયું હતું !!

Tuesday, May 26, 2015

દુર્બળતાને કદી સંઘરતો નથી !

દુર્બળતા એ તમારા માટે નથી. દુર્બળતા આત્માનો વારસો નથી. આત્માનો વારસો બળ છે. જીવત્વનો વારસો દુર્બળતા છે. જે મનુષ્ય પોતાને આત્માના વારસદાર માને છે, તે દુર્બળતાને કદી સંઘરતો નથી. જીવત્વના વારસદાર તરીકે પોતાને માનનાર જ દુર્બળતાને પોતાનામાં સ્થાન આપે છે અને દુર્બળતાથી દબાય છે. દુર્બળતા એ નિરભિમાન છે, એવું જોજો માની બેસતા.

મનુષ્યમાં ઘણા દોષો દુર્બળતાને લીધે આવે છે. જ્યાં સુધી જીવત્વનું અધિક ચિંતન થશે ત્યાં સુધી દુર્બળતા પણ કર્મે લખાયેલી જ જાણવી. અને એક વખત એક કામમાં પ્રગટાવેલી દુર્બળતા બીજી વખતે પૂર્ણતા કરતાં હલકી કક્ષાનું કામ હશે તો તે સિદ્ધ કરવામાં પણ પ્રગટવાની જ.

જીવત્વનું ચિંતન ત્યજો અને દુર્બળતા આપો આપ જતી રહેશે. આત્મા પ્રતિ ઘડીએ ઘડીએ દ્રષ્ટિ ફેંકો - સ્થૂળ દ્રષ્ટિ નહીં, પણ જેનાથી આત્માનું ભાન થાય છે તે દ્રષ્ટિ તેના તરફ ફેંકો, એ આત્મા તમને સર્વ સામર્થ્યવાન કરશે.

Sunday, May 24, 2015

રાવણવૃત્તિનો વિનાશ !!

આટલાં વરસો અને આટલી રામકથા કરતાં કરતાં મેં ત્રણ કામ થતાં જોયાં છે. કેટલા પ્રમાણમાં થયાં એ કેહવું મુશ્કેલ છે.  એ સર્વેનો વિષય છે. સીતા એટલે શાંતિ, મુક્તિ, ક્ષમા, વિધ્યા, કરૂણા, ધર્મ.... આ બધું અથવા આમાંનું જ કશુંક શોધવાની શરૂઆત થઇ ગઇ છે. રામકથાએ બીજું પણ કામ કર્યુ. સેતુબંધ થયો. સમાજમાં મેં એને ચરિતાર્થ થતો જોયો છે. ભાઇ-ભાઇ, પતિ-પત્નિ, પિતા-પુત્ર વચ્ચે જોડાણ થયું છે. રામકથાએ જ કોમ અને જાતિ વચ્ચે સેતુ રચવાનું કામ કર્યુ છે. ત્રિજું કામ થયું ઃ રાવણવૃત્તિનો વિનાશ.

સમાજનાઅ દરેક સ્તરે, ખાસ કરીને યુવાનોમાં, મે જોયું કે તેઓ રાવણવૃતિને છેદવા માટે પ્રેરાયા છે. રાવણવૃતિનો વિનાશ જેટલી માત્રામાં થવો જોઇએ તેટલો થતો નથી એ સાચું છે. રામાયણમાં રાવણનાં જેટલાં માથાં કપાતાં તેટલાં જ નવા ઉભા થતા હતા તેમ રાવણવૃતિ પણ વધતી ચાલી છે. એટલે તેનો થઇ રહેલો વિનાશ ઓછો લાગે છે. પણ એક સમયે જરૂર રાવણવૃત્તિની નાભીમાં બાણ વાગવાનુ છે.

                                       -પૂ મોરારિબાપુ

ધીરો પડ !

ધીરો પડ ! ભાઇ જરા ધીરો પડ તું,
નાચી રહ્યો છે બહુ એકધારો
વખત છે થોડો ને વેશ છે ઝાઝેરા ન જાણે તૂટે ક્યારે એકતારો !
વધૂને વધૂ ભેગું કરવાનો છંદ !

ગુમાવી બેઠો છે, ભાઇ મારા ગાંડા મળ્યું છે તેને માણ્વાનો આંનદ !

ફિકર ને ફડકાની હડિયાપાટીમાં ન જોયા દિવસ, ન જોઇ રાત.

નથી ખબર તને ઠુકરાવી દીધી તેં ઠાકરની દીધી મોંઘી સોગાત !

જિંદગી નથી કાંઇ દોડવાની હોડ !
ધીરો પડ, પોરો ખા, ઓછો કર તોર.

કોઇના દોષ જો નહી !

* મૈત્રી એટલે સર્વ જગત પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, પ્રમોદ એટલે કોઇ પણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો, કરૂણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, ઉપેક્ષા એટલે નિઃસ્પૃહ-ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિત્માં આવવુ.

* કોઇના દોષ જો નહી. જે કઇ થાય છે, તારા પોતાના દોષથી થાય છે. બાહ્ય આડંબર એવો કંઇ ઇચ્છવો નહીં જેથી પરમાર્થને બાધ થાય, એવી રીતે મરવું જોઇએ જેથી સુમરણ બની જાય,

* જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા મળતી હોય ત્યાં સુધી, વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષૂએ કોઇ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમકે તેથી સદવૃત્તિઓ મોળી પડી જાય છે. અથવા વર્ધમાન થતી નથી.

                                  - શ્રીમદ્ રાજચન્દ્ર

Saturday, May 23, 2015

પ્રેમ એ પ્રાર્થના છે, !!

પ્રેમ એ પ્રાર્થના છે, પ્રેમ એ પુનર્જન્મ છે. જીવવાનો અર્થ છે જીવવામાં બીજાને મદદ કરવી તો તમારી વાત કહેતી વખતે હું ન કહો. ન બીજાઓની વાત કરતાં તેઓ કહો. બહેતર એ છે કે કહો - આપણે હ્દય સ્વર્ગની ચાવી છે. એ બ્રહ્માંડની મહાશક્તિ છે. - એક્માત્ર અજેય શક્તિ, એકમાત્ર સર્જનાત્મક શક્તિ. પરસ્પર પ્રેમ કરવો, એજ સ્વર્ગ છે.

                                        - રાઉલ ફિલેરો

Friday, May 22, 2015

ત્યાગ જરૂરી છે !

ત્યાગ જરૂરી છે, તેનો અર્થ સમજવાનો છે, કેમકે જે તમારૂ છે એનો ત્યાગ કર્યો કહેવાય, આ ઘર શુ તમારૂ છે ? શું બાળકો તમારાં છે ? શું ધન તમારૂં છે? એ બધુ તમે લઇને આવ્યા છો? જો લઇને આવ્યા હો તો તમારૂં કહેવાય.પણ લઇને આવ્યા નથી, તેમ લઇને જવાના નથી. તમે તો તમારૂં મન, તમારી વાસનાના સંસ્કારો-આ લઇને આવ્યા છો. મરણ પછી પણ એ લઇને તમે જશો, એ મન તમારૂં છે, એ તમને વળગેલ છે, તેને છોડી શકો, તેનો ત્યાગ કરી શકો, મન ભગવાનને અર્પણ કરી શકો તો તમે મુક્ત થાઓ, કેમકે બંધન મનનું અને વાસનાનું છે. તે બંધન બાહ્ય ત્યાગ કરવા છતાં જો અંતર્ની કામના ન ધોવાય, તે ધોવાની સાધના ન થાય, તો તુટે નહી,

                       સ્વામી ચીદાનંદ સરસ્વતી