Showing posts with label વેદવાણી. Show all posts
Showing posts with label વેદવાણી. Show all posts

Wednesday, June 3, 2015

અવિનાશી તત્ત્વ !!

જે જ્ઞાનનું ઉત્તમ સાધન છે એટલું જ નહીં પણ જે સ્વયં વિજ્ઞાનરૂપ છે. જે એકાગ્ર થાય ત્યારે શક્તિશાળી ચિત્ત બને છે, જે ધૈર્યરૂપ છે, જેની અંદર પ્રકાશ પથરાય છે.

જે પ્રાણીઓમાં અમૃત અર્થાત અવિનાશી તત્ત્વ છે. અને જેના વિના કાંઇ જ કર્મ કરાતું નથી, કરી શકાતું નથી, તે મારું મન શિવસંકલ્પ થાઓ.

Thursday, May 28, 2015

પણ શત્રુઓયે મિત્ર બને છે !!

ખરો ભોક્તા તો તે છે જે આપીને, બીજાને જમાડીને જમે છે. જે દરિદ્રતા અને ભૂખથી કૃશ છે અને અન્નની આશાએ અતિથિ બન્યો છે તેને આપવામાં જ સાચો આનંદ છે. યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી જે ફળ પ્રાપ્ત થાય તે ભુખ્યાને અન્ન આપ્યાથી પ્રાપ્ત થાય છે. આવા પરગજુ માણસના મિત્રો જ મિત્રો નથી રહેતા પણ શત્રુઓયે મિત્ર બને છે.

                                         - ઋગ્વેદ

Tuesday, May 26, 2015

સર્વ કાંઇ શાંત હો !!

દ્યુલોક શાંત હો. પૃથ્વી શાંત હો. (દ્યુલોક અને પૃથ્વીની મધ્યમાં વ્યાપી વળેલું અને એમને જોડતું) આ મહાન અંતરીક્ષ શાંત હો.

સમુદ્ર અને અન્ય જળાશયોનાં જળ શાંત હો અને ઔષધિઓ શાંત હો. પૂર્વ રૂપો (કારણો)  શાંત હો, કરેલું અને ન કરેલું યે શાંત થાઓ (ન કરવાનું કર્યુ હોય અને કરવા જેવું ન કર્યુ હોય તે અશાંતિનું જનક હોવાથી) વર્તમાનમાં મોજૂદ અને ભાવિમાં થનાર શાંત હો, અમારું સર્વ કાંઇ શાંત હો.

                                       - અથર્વવેદ

દંડને પાત્ર છે. !!

*બ્રાહ્મણ સમદ્રષ્ટિવાળો અને શાંત હોય છતાં જો અસહાય પ્રજાને પીડાતી જોતો રહે તો તેનાં તપ અને જ્ઞાન કાણા ઘડામાંથી પાણીની જેમ વહી જાય છે.

* જેટલાથી પેટ ભરાય એટલું દરેકની માલિકીનું ક્છે, એથી વધારેમાં જે મારાપણાનું અભિમાન કરે તે ચોર છે અને દંડને પાત્ર છે.
           
                                      -ભાગવત

Monday, May 25, 2015

હે પરમાત્મા !

હે પરમાત્મા ! મને શુભ કાર્યમાં દ્રઢતા પ્રદાન કરો. સર્વ પ્રાણીઓ મને મિત્રની દ્રષ્ટિથી જુઓ; હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં. મારા મનનાઅ સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ; મારીવાણી સત્ય વ્યવહાર કરવાને શકિમાન બનો. હ્દયની સ્વસ્થતા અને મનની સ્વચ્છતા માટે અમે તારી ઉપાસના કરીએ. અંધકાર્ને દૂર કરો, પ્રકાશને પ્રસારો.
           
                                            - યજુર્વેદ

સંગઠિત બનીને કામ કરો !!

ઓ કલ્યાણકારી માનવો! તમે સંગઠિત બનીને કામ કરો. ખભેખભા મિલાવી ને ચાલો. એકમેકનો વિરોધ કરવાનું છોડી એક જ પ્રકારની વાણી અને સ્વરમાં બોલો. તમારામાં મતભેદ ન હો. પ્રાચીન દેવતાઓ જેમ એકમત થઇ પોત પોતાના હકનો હવિર્ભાગ સ્વીકારે છે તેમ તમે પણ મતભેદો વીસરી પોતપોતાના ભાગે આવતી સંપત્તિઓ ભોગવો. અધિકાર પ્રમાણેનું  વર્તન જ કલ્યાણને ખેંચી લાવે છે.

                                              - ઋગ્વેદ

Sunday, May 24, 2015

મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ

મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તેજ છે કે જેનાથી શ્રીકૃષ્ણનાં ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ થાય તેવી હોય, જે કામના શૂન્ય હોય અને જે નિત્ય નિરંતર રહેતી હોય. આવી ભક્તિ દ્વારા આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને જીવન કૃતકૃત્ય બની જાય છે.

વિદ્યા અને અવિદ્યા

જેઓ અવિદ્યાની આરાધના કરે છે તે ગાઢ અંધકારમાં પ્રવેશે ચી, પરંતુ જેઓ કેવળ વિદ્યાની ઉપાસના કરે છે તેઓ એથીય વધુ ગાઢ અંધકારમાં ડૂબે છે. જે વિદ્યા અને અવિદ્યા આ બન્નેને સાથે સમજીને ઉપાસે છે તે  અવિદ્યાથી મૃત્યુને તરી જઇ વિદ્યાથી અમરત્વ પામે છે.

તેની ઇન્દ્રિયો વશમાં રહે છે, !

જે વિવેકહીન બુદ્ધિવાળો અને અનિયંત્રિત મનવાળો છે તેની ઇન્દ્રિયો વશમાં રહેતી નથી. જેમ દુષ્ટ ઘોડાઓ અસાવધાન સારથિના વશમાં રેહતા નથી. પરંતુ જેની બુદ્ધિ હંમેશા વિવેકયુક્ત હોય છે તેની ઇન્દ્રિયો વશમાં રહે છે, જેમ સારા ઘોડાઓ સાવધાન સારથિના વશમાં રહે છે.

Friday, May 22, 2015

ત્યારે બધા જીવો માટે અન્ન પેદા થાય છે. !!

ચાબુક્થી ઘોડાઓને હાંકતા રથસ્વામીની જેમ, આ પર્જન્યદેવ વૄષ્ટિમેઘોનુ સર્જન કરે છે ત્યારે દૂર દૂર સુધી સિહગર્જનાઓ સંભળાય છે, હવા ફૂકાય છે, વીજળિઓ પડે છે, ઓષધિઓ ભૂમિ પર દેખા દે છે, આકાશ જળથી ભર્યુ ભર્યુ લાગે છે. જ્યારે પર્જન્ય પૄથ્વીને પોતાની રેતસ્ વૄષ્ટિથી સંતર્પિત કરે છે, ત્યારે બધા જીવો માટે અન્ન પેદા થાય છે.