Showing posts with label સ્વાસ્થ્યવાણી. Show all posts
Showing posts with label સ્વાસ્થ્યવાણી. Show all posts

Thursday, May 28, 2015

અરુચિહર ચૂર્ણ !!

દાડિમાદિ ચૂર્ણ અરુચિહર સ્વાદિષ્ટ ચૂર્ણ છે. એંશી ગ્રામ દાડમનાં બીજ, એક્સો વીસ ગ્રામ ખાંડ અને દસ ગ્રામ ત્રિસુગંધીનું ચૂર્ણ ( તજ, તમાલપત્ર અને એલચી સમભાગે ) આ બધું બરાબર ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવું દાડમનાં સૂકાં બીજ વાપરવાં.

આ દાડિમાદિચૂર્ણ દસ ગ્રામ જેટલું ભોજન પૂર્વે અર્ધા કલાક પહેલાં ચપટી ચપટી જીભ પર ભભરાવીને ખાઇ જવું. આ ચૂર્ણ રુચિ પેદા કરશે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે અને આહારનું પાચન કરશે.

Tuesday, May 26, 2015

સ્વાસ્થ્ય માટે દૂધીનો રસ શ્રેષ્ઠ ગણાયો છે !

દૂધીનો રસ

હ્રદયરોગ અને સામાન્ય સ્વાસ્થ્ય માટે દૂધીનો રસ શ્રેષ્ઠ ગણાયો છે.

૨૫૦ ગ્રામ દૂધી સાફ કરીને, છાલ સાથે છીણીને રસ કાઢવો. રસ કાઢતી વખતે ત્રણ-ચાર મરી, ચાર-પાંચ તુલસીનાં પાન અને ચાર-પાંચ ફુદીનાનાં પાન ઉમેરવાં,  એ રસ ગાળીને પી જવો. દિવસમાં બે વખત આ પ્રયોગ કરવો. આ પ્રયોગથી સામાન્ય તંદુરસ્તીમાં પણ ઘણો ફાયદો થાય છે. હ્રદયરોગના દરદી માટે આ રસ ખૂબજ લાભપ્રદ છે.

સંતુલિત આહાર સ્વાસ્થ્યનો પાયો છે !

સંતુલિત આહાર સ્વાસ્થ્યનો પાયો છે, આપણો આહાર અસંતુલિત બને છે અને માંદગીને આમંત્રણ આપીએ છીએ. આહારમાં કાચાં શાકભાજી-ફળોના રસ અને ફણગાવેલ કઠોળનો ઉપયોગ વિવેકસર કરવો જોઇએ. અમ્લાંત આહાર, શાકભાજીનો ઉપયોગ ભોજન સાથે કરો જે વસ્તુ ક્ષારીય પરિણામ આપે તેવી વસ્તુઓ ખાવાનું ટાળો. ફાસ્ત ફૂડ, જંકફુડ અને વધારે તપેલો આહાર ક્ષારીય બની જાય છે. જે આપણા દેહ સાથે એકરૂપ બની શકે તેવો આહાર જ લો. આ દેહ અન્નથીજ બંધાય છે અને પોષાય છે. આહાર જેટલો પવિત્ર અને પ્રોસેસ વિનાનો, તેટલો ઉત્તમ. તે જીવંત હોય છે અને પોષાણ તત્ત્વોથી ભરપૂર હોય છે. આ દેહ એક મંદિર છે તે ભૂલશો નહીં.

Monday, May 25, 2015

પેશાબનાં રોગોનો ઉપચાર !

પેશાબનાં વિવિધ રોગોમાં રસાયણચૂર્ણ ઉપયોગી બને છે. પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવડાવો. પેશાબ અટકતો હોય તો મૂળાના રસને પીવાથી પેશાબ છૂટથી થશે. પેશાબમાં બળતરા માટે ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવું. પેશાબની બળતરામાં ગોખરુનો છોડ ૮-૧૦ કલાક પલાળીને તે પાણી પી જવું. તેમાં સાકર-વરિયાળી પણ નાખી શકાય. તલ પણ તેમા ઉપયોગી બને છે. આમળાંના રસમાં મધ અને હળદર નાખી પીવાથી પેશાબ માર્ગે જતું પરુ બંધ થાય છે. વરિયાળી અને ગોખરુનો ઉકાળો લેવાથી બળતરા મટે છે. એજ રીતે જવ ઉકાળીને પીવાથી પેશાબ સાફ આવે છે અને બળતરા મટે છે. વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.

Sunday, May 24, 2015

આંખનાં કૂંડાળા

ંઉજાગરાને લીધે પણ આંખ નીચે કૂંડાળાં થાય છે એટલે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આયર્ન કે વિટામિનની ઉણપથી એવું થતું હોય તો ખૂબ તાજાં ફળો ખાવાં અને તાજાં શાકભાજી ખાવાં. ગાયનાં દૂધ-ઘી પણ લેવાં અને પૂરતૂં પાણી પીવું. આંખો બંધ કરીને પોપચાં પર કાપેલુ બટેટું અથવા કાપેલી કાકડી પંદરથી વીસ મિનિટ મૂકી રાખવી. કાકડીને છીણી તેનો રસ આંખ પર લગાડવો. તાજા ફુદીનાનો રસ આંખની આસપાસ લગાડો.

નસકોરી !!

નસકોરી ફુટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવી. બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી પણ નસકોરી બંધ થાય છે. આમળાંના ચૂર્ણને દૂધમાં મેળવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ  થાય છે. દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે. એક અન્ય પ્રયોગ એવો છે કે લીંબુનો રસ કાઢી નાકમાં પીચકારી વાટે નાખવાથી નસકોરી દર્દ કાયમ માટે નાબુદ થાય છે. !

દવાઓ !!

દવાઓનાં ઘણાં ભયસ્થાનો છે. નિષ્ણાતોની સલાહ વિના આજકાલ દવાઓ લેવાનું પ્રચલન વધતું જાય છે. ફુડ આઇટમની જેમ જ દરેક દવાની પણ આવરદા હોય છે. દવાની કંપની દ્વારા દવાની દરેક બોટલ કે સ્ટ્રિપ પર સ્પષ્ટપણે દવા બનાવવાની અને મુદ્ત પૂરી થઇ ગયા બાદ મોટા ભાગની દવાઓ તુરંત બિનઅસરકારક થઇ જાય છે. અથવા તો એમાં બાહ્ય અને આંતરિક પરિબળોને લીધે નુકસાનકારક બને છે. અને દવા કે બોટલ સીલબંધ હોય ત્યાં સુધી જ આ મુદત ઢાંકણું કે પટ્ટી ખોલ્યા પછી એ મુદત ઘટી જાય છે. આ ઉપરાંત, વાતાવરણમાં ગરમી કે ભેજનું પ્રમાણ વધુ હોય અથવા દવા પર સીધો તડકો આવતો હોય તો પણ દવાની મુદ્દત, કાર્યક્ષમતા ઘટે છે !

આંખનો દુઃખાવો

દરરોજ સવાર - સાંજ ગુલાબજ્ળનાં ટીપાં આંખમાં નાખવાથી આંખોની લાલાશ દુર થાય છે. સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઇ, બન્નેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડું થાય ત્યારે કપડાથી ગાળી બાટલીમાં ભરી લેવું. એ પાણીના બબ્બે ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુઃખતી આંખો મટે છે. કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાંથી ગાળી, તેના બે બે ટીપાં આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલું, છારી વગેરેમાં પણ ફાયદો થાય છે. સાદો ઉપચાર એ છે કે આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર, બપોર, સાંજ નિયમિત મારવી. તેથી આંખો સ્વસ્થ રહેશે.

થાક ઉતારવાનો સરળ ઉપાય !

વધારે કસરત, મહેનત, કામ, દોડધામથી થાક લાગે છે. થાક લાગે ત્યારે લીંબુનું ખાંડવાળું શરબત લઇ લેવું. બીજો ઉપાય છે ઠંડા પાણીમાં ૨૦ ગ્રામ ગોળ નાખી તેમાં વરિયાળી નાખી પીવાથી પણ થાક દૂર થશે. ગોળ, ઘી, લીંબુંનું ચાટણ પણ લઇ શકાય. આરામ, શવાસન એ થકાન દૂર શ્રેષ્ઠ ઉપાય છે. શરીરને એકદમ ઢીલું કરી દસ મિનિટ પડ્યા રહો.

કાકડા !

કાક્ડા બાળકોમાં વધારે જોવા મળે છે. તેનું ઓપરેશન કરાવે છે. પણ તેના સાદા ઉપચારો લાભ કરશે. સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે. હળદરને મધમાં મેળવી કાકદા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે. પાણીમાં મધ નાખીને પણ કોગળા કરાવી શકાય. હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારી જવી અને તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવું. કેળાની છાલ ગળા બહાર બાંધવી. ગરમ, તીખું, ભારે ખાવા ન આપવું.

શીતલી પ્રાણાયમ !

શરીરમાં શીતળતા મેળવવા માતે શ્રેષ્ઠ છે શીતલી પ્રાણાયમ ! મોઢું ઉઘાડીને જીભ અંદર પૂરો અને પછી મોઢું બંધ કરીને નાક દ્વારા હવા બહાર કાઢો. જેટલો લાંબો સમય આ ક્રિયા થઇ શકે તે રીતે કરો. આનાથી તુરત જ ઠંડકનો અનુભવ થશે ! ઠંડક માટે સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે લઇ લેવા. ધાણા પણ તેમાં નાખી શકાય. નાનાં ગોખરુ આવે છે તે જો લીલો છોડ મળે તો તેને સાફ કરી, રાત્રે પલાળી સવારે પીવાથી શીતળતા મળશે. તેમાં સાકર અને વરિયાળી પણ નાખી શકાય.

Friday, May 22, 2015

આહાર સંયમ :

આહારનો અર્થ કેવળ ભોજન નથી, આંખ, કાન, નાસિકા, મુખ અને ત્વચા દ્વારા જે કાંઇ ચારે તરફના વાતાવરણમાંથી શરીર અને મનમાં અંદર લેવામાં આવે છે તે સઘળો આહાર છે. આયુર્વેદની દ્રષ્ટિએ શરીરની પ્રકૃત્તિ વાત, પિત્ત, કફ વગેરે ધાતુઓની પ્રધાનતા - ગૌણતાવાળી છે. એટલે તેને સમજીને આહાર નક્કી કરવો. એજ રીતે દૈનિક કાર્યનું સ્વરૂપ તથા પરિણામ મુજબ પોતાના શરીરની આવશ્યક્તા બરાબર સમજીને તેને અનુરૂપ ખોરાક લેવો. ખોરાક્ની માત્રા, ક્રમ, સમય નક્કી હોવા જોઇએ અને તે રીતે લેવો જોઇએ. જ્યારે ઇચ્છા પડે ત્યારે, જે કંઇ હોઇ, ગમે તેટલા પ્રમાણમાં, અનિયમિત રીતે પેટમાં નાખ્યા કરવાથી પચનતંત્ર અસ્ત વ્યસ્ત થઇ જાય છે, જે અનેક રોગોનુ મૂળ કારણ બને છે. જ્યાં સુધી સંભવ હોય બહારનું ન લેવું. આહાર સુપાચ્ય, પોષણયુક્ત, સ્નિગ્ધ અને તાજો હોવો જોઇએ. ભોજન લેતી વખતે  ્બની શકે તેટલુ મૌન જાળવવું. તે વખતે ચિત્ત અશાંત - ઉત્તેજનાથી ઘેરાયેલું ન હોવું જોઇએ. એઠું ન મુકવું જોઇએ.