ગુજરાતી સાહિત્ય
વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
Thursday, July 10, 2025
લોકકથા: વીર સુમ્મલ અને રણછોડભાઈ
Sunday, June 14, 2015
ઘી ની રામાયણ !!
એક દિવસ તેની પત્નીએ ખીચડી બનાવી. શેઠ જમવા બેઠા પણ તેની પત્નીએ ધ્યાન ન આપ્યું. એણે જ્યારે ફરીથી ઘી માગ્યું તો સ્ત્રી ગુસ્સે થઇને કહે ઃ તમે ઘી તો લાવતા નથી તો ક્યાંથી આપું ? અને વેલણ ઉપાડીને માથામાં માર્યું.
શેઠના માથામાંથી લોહી વહેવા લાગ્યું.
શેઠ ઊઠીને બહાર નીકળી ગયા.
કોઇકે પૂછ્યું તો શેઠ કહે ઃ પડી ગયો એથી વાગી ગયું છે.
પેલો માણસ કહે ઃ આના પર ઘી લગાવો તો ઘા ઠીક થઇ જશે.
ઊંડો શ્વાસ લઇને શેઠ કહે ઃ ભાઇ ઘી હોત તો આ ઘા જ ન હોત !!
Tuesday, June 9, 2015
હું છું તારો !!
હું છું તારો !!
વાહ.......વાહ.....
હું છું તારો !!
વાહ.... વાહ...
એક પણ પત્થર ના પહોચે મારી પાસે,
તમે ગમે તેટલું જોર કરીને મારો.
- પ્રદિપ પરમાર
Sunday, June 7, 2015
હમણાં ને હમણાં કૂવાનું પાણી ખાલી કર !!!
મુલ્લા નસરુદ્દીન ભારે પરગજુ અને સેવાભાવી. એમના મિત્ર જમાલુદ્દીન ને ઘર ખરીદવું હતું અને મુલ્લાએ એક સારું - સગવડ ભર્યું મકાન જમાલુદ્દીન ને અપાવ્યું. ઘરને આંગણું હતું અને આંગણામાં કૂવો હતો. બીજે દિવસે જમાલુદ્દીનનો નોકર કૂવામાંથી પાણી કાઢવા ગયો ત્યારે જૂનો મકાન્નમાલીક હાજર હતો, તે બરાડીને કહે ઃ ખબરદાર ! કૂવામાંથી પાણી કાઢવાનું નથી. મે ઘર વેચ્યું છે, પાણી નહી ! શું કરવું ? મૂલ્લા આવ્યા અને સાંભળીને બહુ ખુશ થયા.
જમાલુદ્દીનને તેમણે કહ્યું તારાથી પાણી લેવાય નહીં, તને ક્યાં પાણી વેચ્યું છે, ! થોડી ક્ષણો આ નાટક ચાલ્યું. પછી મુલ્લાએ જૂના માલિકને કહ્યું ઃ એકલું પાણી જ તારું છે ને ? આ આંગણું, આ ઘર તો હવે તારા નથી ને ? પેલાએ વાત સ્વીકારી. મુલ્લા કહે ઃ હમણાં ને હમણાં તારું પાણી લઇજા અને કૂવો ખાલી કર. અને પાણી ખાલી ન થાય ત્યાં સુધી તેને જમાલુદ્દીનની જગ્યામાં બિનઅધિકારથી રાખવા માટે કલાકના રૂપિયા સો લેખે ભાડું આપ.
Saturday, June 6, 2015
સંત કહે તારી ધનદોલતનું મૂલ્ય કેટલું !!
ઇરાનના શાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્ય અને અઢળક સંપત્તિનો ગર્વ હતો. આ ગર્વએ તેને તોછડો બનાવી દીધો હતો. આવા ઘમંડી બાદશાહને મળવા અબુ શકીક નામના સંત આવ્યા. તેમણે બાદશાહને પૂછ્યું ઃ તમારી ધનદોલતનું મૂલ્ય કેટલું છે ?
બાદશાહ કહે ઃ મારી પાસે બેશુમાર દોલત છે. તેનો અંદાજ મને પણ નથી.
પેલો સૂફી સંત કહે ઃ બાદશાહ ! ધારો કે તમે સહારાના રણમાં ભૂલા પડ્યા છો તમને ખૂબ તરસ લાગી છે. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઇ પાણીનો પ્યાલો ધરે તો તમે શું આપશો ?
બાદશાહ કહે ઃ અરે ! હું અર્ધું રાજ્ય આપી દઉં ! સંતે બીજો પ્રશ્ન કર્યો ધારો કે તમે બીમાર છો. બચવાની કોઇ આશા નથી. દુનિયાના બધા કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. અને એજ સમયે તમને કોઇ દવાની પડીકી આપે અને સાજા થઇ જાવ. તો તમે એને શું આપશો ? બાદશાહ કહે ઃ આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.
સૂફી સંત બાદશાહને કહે ઃ બાદશાહ, તારા સામ્રાજ્યની તમામ દોલતને કિંમત પાણીનો એક પ્યાલો અને દવાની એક પડીકી જેટલી જ છે. તો પછી તેનું આટલું બધું અભિમાન શાને ??
ગરીબ અને તવંગર !!
<ul>
<li>તવંગર લોકો ગરીબો કરતાં એક જ સગવડ વધુ ભોગવતા હોય છે અને તે છે બીજાઓને સુખી કરવાની! પણ તેઓ ભાગ્યે જ તે સગવડનો ઉપયોગ કરતા હોય છે !
<li>પોતે જાણે છે એવું જે નથી જાણતો તે ઉત્તમ. પોતે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માનનાર રોગિષ્ઠ.
<li>જેને દુનિયા ઇયળનો અંત કહે છે, તેને કવિ પતંગિયાની શરૂઆત કહે છે !
</ul>
હું ખોળતો હતો !!
હું ઉન્નતિને ખોળતો હતો, મને તે વિનયમાંથી મળી,
હું પુરૂષાર્થને ખોળતો હતો, તે મને સત્યમાંથી મળી,
હું મોટાઇને શોધતો હતો, તે મને ધૈર્યમાંથી મળી,
હું શાંતિને શોધતો હતો, તે મને વૈરાગ્યમાંથી મળી.
હું સંપત્તિને શોધતો હતો, તે મને ઇશ્વરાશ્રિત થવાથી મળી.
