દવાઓનાં ઘણાં ભયસ્થાનો છે. નિષ્ણાતોની સલાહ વિના આજકાલ દવાઓ લેવાનું પ્રચલન વધતું જાય છે. ફુડ આઇટમની જેમ જ દરેક દવાની પણ આવરદા હોય છે. દવાની કંપની દ્વારા દવાની દરેક બોટલ કે સ્ટ્રિપ પર સ્પષ્ટપણે દવા બનાવવાની અને મુદ્ત પૂરી થઇ ગયા બાદ મોટા ભાગની દવાઓ તુરંત બિનઅસરકારક થઇ જાય છે. અથવા તો એમાં બાહ્ય અને આંતરિક પરિબળોને લીધે નુકસાનકારક બને છે. અને દવા કે બોટલ સીલબંધ હોય ત્યાં સુધી જ આ મુદત ઢાંકણું કે પટ્ટી ખોલ્યા પછી એ મુદત ઘટી જાય છે. આ ઉપરાંત, વાતાવરણમાં ગરમી કે ભેજનું પ્રમાણ વધુ હોય અથવા દવા પર સીધો તડકો આવતો હોય તો પણ દવાની મુદ્દત, કાર્યક્ષમતા ઘટે છે !
No comments:
Post a Comment