કાવિઠા ગામના છોકરાંઓને બોધ આપતાં શ્રીમદ રાજ્ચંદ્રે પૂછ્યું ઃ છોકરાઓ તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો ભરેલો લોટો હોય અને માર્ગે જતાં તમને ધક્કો લાગે તો તે વખતે ક્યો લોટો સાચવશો ? '
ગીરધર કહે ઃ ઘી નો લોટો સાચવીશું.
શ્રીમદે પૂછ્યું ઃ કેમ? ઘી ઘી અને છાશ તો બંને એક્માથી જ ઉત્પન્ન થાય છે, છતાં ઘી શા માટે ?
છોકરો કહે ઃ છાશ ઢોળાઇ જાય તો ઘણાય ફેરા કોઇ ભરી આપે, પણ ઘી કોઇ ભરી ના આપે.
આ સાંભળી શ્રીમદ કહે ઃ છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘી ની માફક આત્મા છે, તેને જતો કરે છે. એવી અવળી સમજણવાળો આ જીવ છે. પણ એ આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે અને આંચ આવે ત્યારે છશની માફક દેહને જતો કરે. કારણ દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે એ ભોગવવારૂપે દેહ તો મળવાનો જ છે.
No comments:
Post a Comment