એક વાર ઇરાનમાં દુષ્કાળ પડ્યો. લોકો ત્રાહિમામ. ગામને પાદરે એક મદરેસા હતી. એક દિવસ સવારે મુલ્લા સાહેબ ફરવા નીકળ્યા. મદરેસાનાં બાળકોને તેમના શિક્ષક ગામ બહાર મેદાનમાં નમાજ પઢાવવા લઇ જતા હતા.
મુલ્લાએ શિક્ષકને પૂછ્યું ઃ આ શેતાનના લશ્કરને ક્યાં લઇ જાઓ છો?
શિક્ષક કહે ઃ દેશમાં દુકાળ પડ્યો છે, તેનો ઉપાય તરીકે આ નિર્દોષ બાળકોને વરસાદ પડે એવી ખુદાને દુઆ કરવા માટે ગામ બહાર મેદાનમાં લઇ જાઉં છું. ખુદા બાળકોની પ્રાર્થના હંમેશા સ્વીકારે છે.
મુલ્લા હસીને બોલ્યા ઃ ખાંડ ખાઓ છો ખાંડ ! જો બાળકોની દુઆ કબૂલ થઇ હોત તો તો પૃથ્વીની સપાટી પર એક પણ માસ્તર જીવતો ન રહી શક્યો હોત !'
No comments:
Post a Comment