Sunday, June 14, 2015

ઘી ની રામાયણ !!

એક શેઠ ગરીબીમાં દિવસ પસાર કરી રહ્યાં હતા.
એક દિવસ તેની પત્નીએ ખીચડી બનાવી. શેઠ જમવા બેઠા પણ તેની પત્નીએ ધ્યાન ન આપ્યું. એણે જ્યારે ફરીથી ઘી માગ્યું તો સ્ત્રી ગુસ્સે થઇને કહે ઃ તમે ઘી તો લાવતા નથી તો ક્યાંથી આપું ? અને વેલણ ઉપાડીને માથામાં માર્યું.
શેઠના માથામાંથી લોહી વહેવા લાગ્યું.
શેઠ ઊઠીને બહાર નીકળી ગયા.
કોઇકે પૂછ્યું તો શેઠ કહે ઃ પડી ગયો એથી વાગી ગયું છે.
પેલો માણસ કહે ઃ આના પર ઘી લગાવો તો ઘા ઠીક થઇ જશે.
ઊંડો શ્વાસ લઇને શેઠ કહે ઃ ભાઇ ઘી હોત તો આ ઘા જ ન હોત !!

1 comment: