સર્પના મોઢામાં ઝેર છે. તે ખાય પીએ તોય તેને ઝેર નથી લાગતું. પણ બીજા કોઇને કરડે તો તે માણસને ચડે છે. તે પ્રમાણે ભગવાનની અંદર માયા છે ખરી, પણ તે તેને મોહ પમાડી શક્તી નથી. તે માયા બીજાને મોહ પમાડે છે. સુર્ય પૃથ્વીને અજવાળું રહેલ છે, પણ એક નાનકડું વાદળ સામે આવીને તેને ઢાંકી દે તો પછી સુર્ય દેખાતો નથી. તે પ્રમાણે આપણે સાધારણ માયાના આવરણને વશ છીએ તેથી સર્વવ્યાપી અને સર્વલક્ષી સ્વરૂપ સચ્ચિદાનંદ ને ે જોઇ શક્તા નથી.
- શ્રી રામકૃષ્ણ પરમહંસ
વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
Wednesday, May 27, 2015
ભગવાનની અંદર માયા છે ખરી, પણ !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment