એક વાર ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર બજારમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં એક બાળક ઊભો ઊભો ભીખ માગી રહ્યો હતો, સાહેબ, એક આનો આપો. ભગવાન તમારું ભલું કરશે.
વિદ્યાસાગરે તેને પૂછ્યું, આજે એક આનો આપું, પરંતુ કાલે તું શું કરીશ ? બસ, રોજ આમ લાચાર બનીને ભીખ જ માગ્યા કરીશ ?
ભિખારી બાળકે કહ્યું ઃ બીજું શું કરું ? તમે જ કહો.
વિદ્યાસાગરે કહ્યું ભીખ માગવા કરતાં તો મરવું ભલું, આમ લાચાર બનીને ક્યાં સુધી જીવીશ? લે, આ પાચં રૂપીયા. કાંઇક નાનકડો ધંધો કર.
ભિખારી તો રાજી થઇ ગયો. બીજે દિવસે તેણે પાંચ રૂપિયાનાં સંતરાં ખરીદ્યાં અને છાબડી લઇને વેચવા નીકળ્યો. પાંચના પચ્ચીસ અને પચ્ચીસના પચાસ થયાં. પછી તો તેણે દુકાન ખરીદી લીધી.
એક દિવસ વિદ્યાસાગર તેની દુકાને આવી ચઢ્યા પણ તેને ઓળખી ન શક્યા. યુવાને કહ્યું ઃ મને ન ઓળખ્યો ? તમે મને પાંચ રૂપિયા આપેલા તે ભૂલી ગયા ? આજે હું પગભર છું અને સુખી છું. લો, આ તમારા રૂપિયા પાછા,.
વિદ્યાસાગરે કહ્યું ઃ દોસ્ત તું આ રૂપિયા કોઇ એવી વ્યક્તિને આપજે કે જે તારી માફક પોતાની જિંદગીને નવો વળાંક આપી શકે.
No comments:
Post a Comment