Sunday, May 24, 2015

હું આંધળો છું, !!

એક આંધળો માણસ ભીખ માગી રહ્યો હતો. એક નાના બોર્ડમાં લખેલું ઃ હું આંધળો છું, મહેરબાની કરીને મને મદદ કરો.' બપોરનો સમય હતો, તેના વાસણમાં થોડા સિક્કા હતા. એ વખતે ત્યાંથી એક લેખક પસાર થયા. તેમની નજર એ બોર્ડ પર પડી. તેમણે એ લખાણ લુછીને તેના પર બીજું કંઇક લખી દીધું અને થોડા સિક્કા નાખીને જતો રહ્યો.

સાંજ સુધી તો એ ભીખારીનું વાસણ સિક્કાઓથી ભરાઇ ગયું હતું ! પેલો લેખક સાંજે જ્યારે પાછો આવ્યો ત્યારે ભીખારી પગલાંના અવાજથી તેને ઓળખી ગયો અને પૂછ્યું ઃ તમે બોર્ડ પર એવું તો શું લખ્યું કે આજે આટલા બધા સિક્કા મળ્યા! ત્યારે પેલો લેખક કહે ઃ મેં તમારી વાતને જરા બીજી રીતે રજૂ કરેલી મેં લખેલું આજથી વસંત શરૂ થઇ ગઇ છે, પણ હું જોઇ શકતો નથી! વાત કેહવાની રીત પણ કેવી મહત્ત્વની છે?.

No comments:

Post a Comment