વૃદ્ધ ઉંમરે પણ લોકહિત માટે સતત મથતા રવિશંકર મહારાજને કોઇએ પૂછ્યું ઃ તમને થાક નથી લાગતો?'
મહારાજ કહે ઃ થાક લાગે છે તો ખરો, પણ થાકીને લોથપોથ થઇ ગયા પછી તમને ખબર પડે કે તમારું બાળક પડી ગયું છે તો તમે શું કરો?
થાકને જોશો કે પડેલા બાળકને ઊઠાવી લેવા દોડશો?
બસ એ જ હાલત મારી છે. જેમને મેં સ્વજન ગણ્યાં તેમને ભૂલાં પડેલાં કે ગબડી પડેલાં જોયા પછી મારાથી શી રીતે બેસી રેહવાય?'
No comments:
Post a Comment