Sunday, May 24, 2015

કોઇ પણ બલિદાન મોટું નથી !

અબ્દુલ અઝીઝ નામના એક બાદશાહના શહજાદા પાસે એક વીંટીમાં ખૂબ કિંમતી હીરો હતો. જ્યારે તે પ્રદેશમાં દુષ્કાળ પડ્યો ત્યારે ઘણાં લોકો ભૂખે મરવા લાગ્યા. રાજકુંવરનું હ્રદય દ્રવી ગયું. તેણે વીંટીમાંનો તે હીરો વેંચી નાખ્યો અની તેમાંથી જે મળ્યું તે બધું ગરીબોને વહેંચી દીધું. આ જોઇ એક અધિકારીએ વહાલા થવા માટે કહ્યું ઃ શાહજાદા સાહેબ, આપે આવો કિંમતી હીરો શા માટે જતો કર્યો ? બીજો આવો હીરો નહીં મળે. દુષ્કાળ તો આવ્યા કરે.'

રાજકુમારે અશ્રુભીની આંખે કહ્યું ઃ હું ભૂખે મરતા માણસો કરતાં હીરા વિનાની વીંટી વધારે પસંદ કરું છું.હીરા તો કદાચ મળી શકશે અને નહી મળે તો કાંઇ બગડી નથી જવાનું. પરન્તુ મરી ગયેલા માનવીઓને પાછા જીવિત કરી શકાતા નથી. માટે ભાઇ ! સમય આવે ત્યારે કોઇના જીવનને માટે આ જગતના કોઇ પણ પદાર્થનું બલિદાન મોટું નથી. આથી જ્યારે માણસો ભૂખે મરતા હોય ત્યારે મને હીરાની સુંદરતા ક્યાંથી ગમે ?'

No comments:

Post a Comment