મંદિર બંધાઇ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું.
બાજુમાંથી પસાર થતા એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એક્ને પૂછ્યું ઃ એલા, શું કરી રહ્યોછે તું ? જવાબ મળ્યો ઃ દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !
બીજાને પૂછ્યું ઃ દોસ્ત તું શું કરી રહ્યો છે? બીજાએ જવાબ આપ્યો કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું. આવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો જવાબ મળ્યો ઃ ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.
વાત એક જ, દ્રષ્ટિ કેવી જુદી જુદી! જીવનમાં દ્રષ્ટિથી જ ફેર પડે છે.
No comments:
Post a Comment