ૐ
ભારતીય સંસ્કૃતિ એટલે જાણે ૐની સંસ્કૃતિ ! બધા મંત્રોમાં તે આવે અને તેનું પોતાનું આગવું અસ્તિત્વ. ૐકાર એટલે બધા વેદો-ઉપનિષદોનો સાર. ૐ જ પરબ્રહ્મ. તેને પ્રણવમંત્ર પણ કહે છે. ૐ એ સાડાત્રણ અક્ષરનો બનેલો છે. અ પછી ઉ અને મ ઉપરાંત અરધી માત્રા. આ પ્રત્યેક માત્રાના પણ અર્થ છે. આખીય સૃષ્ટિનું સ્વરૂપ તે ૐ છે.
અ એટલે પૃથ્વી, ઉ એટલે અંતરીક્ષ, મ એટલે દેવલોક અને ઉત્પતિ, સ્થિતિ તેમજ લયનો સમાવેશ પણ તેમાં થઇ જાય છે. જીવની ત્રણ સ્થિતિ, મનુષ્યની ત્રણ પ્રકૃતિ પણ ૐ કારમાં આવી જાય છે.. આપણાં બધાં શાસ્ત્રો ૐ થી જ ઉચ્ચારાય છે. ૐ નાભિમાંથી નીકળવો જોઇએ. ૐ કારનો જ જપ અને તેની સાધના જીવન યાત્રામાં ઊંચે જવામાં ઉપયોગી છે. એટલે જ કેહવાયું કે સમગ્ર વિશ્વ ૐમાં સમાઇ જાય છે. યોગીઓ નિત્ય તેનું જ ધ્યાન કરે છે. ૐ એટલે જ સમગ્ર અસ્તિત્વ, વર્તમાન, હાજર.
No comments:
Post a Comment