ે ચીન દેશના મહાન ચિન્તક કોન્ફયુશિયસ અને તેમના શિષ્યો એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં એક સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તે તેમને જોયુ. કોન્ફયુશિયસે પોતાના એક શિષ્યને તેની પાસે મોકલ્યો.
એ સ્ત્રી પાસે જઇને એના રડવાનુ કારણ જાણી લાવો.'
પેલા શિષ્યે એ બહેન પાસે જઇને પૂછ્યુ એટલે તે સ્ત્રી કહે ઃ ભાઇ, આ જંગલમાં વાઘની ભારે રાડ છે, હજુ થોડાક દિવસ અગાઉજ મારા સસરાને વાઘે ફાડી ખાધા અને પછી મારા પતિને પણ વાઘે મારી નાખ્યા.
શિષ્યે આ વાત ગુરૂને કહી. તેઓ એ સ્ત્રી પાસે ગયા અને તેને કહ્યુ ઃ બહેન ! આ પ્રદેશ્માં આટલુ દુઃખ છે, તો બીજી કોઇ જગ્યાએ જતા કેમ નથી રહેતા ?
આ સાંભળી પેલી સ્ત્રીએ કહ્યુ ઃ મહારાજ, તમારી વાત સાચી છે, પણ અહીનો રાજા જુલ્મી નથી. અહીના કર્મચારીઓ લાંચિયા નથી, અહિના વેપારી એકના ડબલ કરત! નથી.'
આ સાંભળી કોન્ફયુશિયસ કહે ઃ શિષ્યો, આ વાત સમજવા જેવી છે.
માણસો જુલ્મી રાજ અને ભ્રષ્ટાચારી અમલદાને વાઘ કરતાંય ખતરનાક ગણે છે !....
No comments:
Post a Comment