કન્ફયુશિયસ ઘણી ડહાપણની વાત કહેલી છે. એક વખત કહેલું ઃ મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર ર!ખવા.
પહેલો દોષ, ઉતાવળિયાપણાનો - તમારો બોલવાનો વારો આવે તે પેહલાં બોલવું તે.
બીજો દોષ, શરમાળપણાનો - તમારો બોલવાનો વારો આવે ત્યારે ન બોલવું તે અને ત્રીજો દોષ, બેદરકારીનો - સાંભળનારના ચેહરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે.
પછી કહે ઃ સજ્જન બીજાના અભિપ્રાયો પ્રત્યે મન ખુલ્લું રાખે છે, પણ તેની સામે પૂરેપૂરો સંમત થઇ જતો નથી. જ્યારે હલકો માણસ બીજાના અભિપ્રાયો સાથે પૂરેપૂરો સંમત થઇ જાય છે, પણ તેમના પ્રત્યે મન ખુલ્લું રખતો નથી.
No comments:
Post a Comment