હ્દયની કેળવણી પુસ્તકો દ્વારા આપી શકાય એવું હું માનતો નથી. શિક્ષકના જીવંત સ્પર્શ દ્વારા જ એ બની શકે. અને પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો કેવા હોય છે ? આ સ્ત્રી પુરૂષો શ્રદ્ધાળુ અને ચારિત્ર્યશીલ હોય છે? તેમણે પોતે હ્દયની કેળવણી મેળવી છે? શિક્ષકોને નિર્વાહ પૂરતું પણ વેતન મળે છે ખરું? હવે શિક્ષણના માધ્યમની વાત. પરદેશી ભાષાના માધ્યમને કારણે આપણાં બાળઓના જ્ઞાનતંતુઓ પર અયોગ્ય બોજો પડે છે. તેઓ ગોખણિયાં અને નકલ કરનાર બની જાય છે.
મૌલિક કામ અને વિચાર માટે નાલાયક બને છે. પરદેશી ભાષાના માધ્યમે આપણાં બાળકોને તેમની પોતાની ભૂમિમાં લગભગ પરદેશી બનાવી દીધાં છે. હું અંગ્રેજી ભાષાને આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજદ્વાર સંબંધોની ભાષા ગણું છું. તેમાં વિચાર અને સાહિત્યનો
સમૃદ્ધ ભંડાર પણ છે. કેટલાક માટે તેનું જ્ઞાન જરૂરી છે, અને તેને પ્રોત્સાહન પણ આપું. આપણે આપણી પોતાની સંસ્કૃતિની કદર કરીએ અને તેને પચાવીએ ત્યાર પછી જ બીજી સંસ્કૃતિઓની કદર કરીએ એ યોગ્ય ગણાય.
- ગાંધીજી
No comments:
Post a Comment