Friday, May 22, 2015

દાન નો અર્થ સમજાવો

તે પછી એક ધનવાને કહ્યુ ઃ દાન નો અર્થ સમજાવો.

ત્યારે તેમને જવાબ દીધો ઃ એ દાન અતિ અલ્પ છે, જે તમારા સંગ્રહમાથી તમે કાઢી આપો છો. જ્યારે તમે તમારાન જીવનમાથી કાઢીને આપો, ત્યારે જ સાચુ દાન થાય છે.'

કેટલાક પોતાના મોટા સંગ્રહમાંથી થોડુક દાન કરે છે,અને તેની કદર થાય એમ ઈચ્છે છે, તેમના મનમાં છુપાયેલી  આ ઇચ્છાને લીધે તેવા દાન અનર્થકારી થાય છે.

અને કેટલાક પાસે થોડુંક જ હોય છે, અને સઘ્ળુ દઈ દે છે. તેઓ આત્મામાં અને આત્માના ભંડારમાં શ્રધા રાખવાવાળા છે, અને તેમની થેલી ક્દી ખાલી થતી નથી.

અને કેટલાક આપે છે, અને તે આપવામા નથી દુઃખ માનતા અને હર્ષને શોધતા, તેમજ નથી કંઇ પુણ્ય કર્યાનો ખ્યાલ ધરાવતા. તેઓ, જેમ પેલી કુન્જમાં પુષ્પલતાઓ દશે દિશામાં પોતાની સુવાસ પાથરી દે છે,  ે તે પ્રણામે આપે છે.

માંગે ત્યારે આપવુ સારુ તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જોઇને, આપવુ એ વધારે સારુ છે.

અને જે હાથનો છુટો છે  તેની તો દાન આપવાના આનંદ કર્તાં દાનનો લેનારો મળે એજ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે.

અને હે દાન સ્વીકારનારાઓ, તમે કૄતજ્ઞતાનો ભાર ન અનુભવશો અને દાતાની સાથે, જાણે પાંખો મળી હોય તેમ, તેના દાન પર ચડી ઊચા ઊડજો..

                                     -ખલિલ જિબ્રાન

No comments:

Post a Comment