ચીનમાં એક જમાનામાં એવું કુટુંબ વસતું હતું કે જેની નવ નવ પેઢીઓ સુધી સાસરે જતી દીકરીઓ સિવાય બીજું કોઇ જ કુટુંબીજન ઘર છોડીને ચાલ્યું ગયું નહોતું. આવા સુખી ગૃહજીવનની ખ્યાતિ ફેલાતી ફેલાતી શહેનશાહ સુધી પહોંચી. આ વાતનું રહસ્ય જાણી લાવવા એમણે કાસદ મોકલ્યો. કુટુંબના વડદાદાએ લાંબો કાગળ અને પીંછી લઇને ચીની ચિત્રલિપિમાં અનેક શબ્દો આલેખ્યા અને પોતાનો ઉત્તર શાહીદૂતને સોંપ્યો. પછી શહેનશાહે પોતે જ્યારે એ પત્રનું ફીંડલુ ઉખેડ્યું ત્યારે ત્યારે તેના પર બિજું કંઇ નહી પણ "ધીરજ" માટેનું ચિત્ર-પ્રતીક એકસો વાર આલેખવામાં આવેલું.
No comments:
Post a Comment